ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે કોરોના વાયરસના કેસમાં 200થી વધુ કેસનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 768 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 899 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.66 ટકા નોંધાયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે રાજ્યમાં નવા 768 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 230 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ ત્રણ દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10978 પર પહોંચી ગયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 230, વડોદરા કોર્પોરેશન 68, ગાંધીનગર 58, મહેસાણા 55, વડોદરા 45, સુરત કોર્પોરેશન 40, રાજકોટ કોર્પોરેશન 34, અમરેલી 28, સુરત 28, રાજકોટ 26, ગાંધીનગર કોર્પોરેશન 25, બનાસકાંઠા 21, ભરૂચ 18, કચ્છ 14, સાબરકાંઠા 14, નવસારી 9, પાટણ 9, જામનગર કોર્પોરેશન 8, અમદાવાદ 7, મોરબી 7, વલસાડ 6, ખેડા 3, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, તાપી 2, ભાવનગર 1, ગીર સોમનાથ 1, જામનગરમાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5895 એક્ટીવ કેસ છે જે પૈકી 21 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5874 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,44,388 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10978 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,17,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,87,05,548 લોકોનું રસીકરણ થયું છે.