દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસને લઇ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ
BY Connect Gujarat Desk21 Dec 2023 3:56 PM GMT
X
Connect Gujarat Desk21 Dec 2023 3:56 PM GMT
દ્વારકા તીર્થંક્ષેત્રમાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આગામી તા.૨૩ - ૨૪ ડિસેમ્બરે મહારાસ સહિત અનેકવિધ કાર્યક્રમોનું અખિલ ભારતીય યાદવ સમાજના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં દ્વારકા નગર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આહિર સમાજના બહેનો અને ભાઈઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ દ્વારકા શહેરની શેરીઓમાં સફાઈ કરી હતી. તેમજ સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, દ્વારકામાં યોજાનાર મહારાસમાં ૩૭,૦૦૦ આહીરાણીઓ જોડાશે.
Next Story