New Update
/connect-gujarat/media/post_banners/80227e28e9806740828626511d6dd4b0ac93232bca6516e59fa99d4dc47052b5.webp)
દ્વારકા તીર્થંક્ષેત્રમાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આગામી તા.૨૩ - ૨૪ ડિસેમ્બરે મહારાસ સહિત અનેકવિધ કાર્યક્રમોનું અખિલ ભારતીય યાદવ સમાજના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં દ્વારકા નગર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આહિર સમાજના બહેનો અને ભાઈઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ દ્વારકા શહેરની શેરીઓમાં સફાઈ કરી હતી. તેમજ સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, દ્વારકામાં યોજાનાર મહારાસમાં ૩૭,૦૦૦ આહીરાણીઓ જોડાશે.