Connect Gujarat
ગુજરાત

અંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાળાના ધાવા ગામના પરિવારે 14 વર્ષની દીકરીની બલી ચઢાવી, સમગ્ર પંથકમાં અરેરાટી મચી

તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચા

અંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાળાના ધાવા ગામના પરિવારે 14 વર્ષની દીકરીની બલી ચઢાવી, સમગ્ર પંથકમાં અરેરાટી મચી
X

ગીર સોમનાથમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચા થી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે. બે દિવસથી પોલીસે ધાવાગામમાં ધામાં નાખ્યા છે એને તપાસ કરી રહી છે.

બાળકીને આઠમની રાત્રે તેના જ પિતાએ કથિત રીતે બલિ ચડાવી દીધી છે. આ બાબતની પુરાવા વિનાની પોલીસને પણ બાતમી મળી હતી. આથી બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન શેરડીના ખેતરમાઠી રાખ ભરેલી પ્લાસ્ટિકની 2 બેગ અને એક ઝભલું મળી આવ્યું છે. એ બેગની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જ્યાં 14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તાંત્રિકવિધિમાં અંધવિશ્વાસમાં પિતાએ દિકરીની બલી ચડાવી ખૌફનાક મોત આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

આરોપીએ હત્યા બાદ 4 દિવસ સુધી મૃતદેહ સાચવ્યો હતો અને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ કર્યા હતા. જેમાં દીકરી જીવિત ન થતાં અંતે મૃતક દીકરીની અંતિમવિધિ કરાઇ હતી. હાલ આ બધા આરોપસર પોલીસે સગીરાના માતા-પિતાની કરી અટકાયત કરી છે અને પિતા તથા અન્ય લોકોની તાલાલા મામલતદારે પણ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ કિસ્સામાં કેવું સત્ય બહાર આવે છે.

Next Story