નવસારી સરકારી નોકરી અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાય

NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે.

New Update

સરકારી નોકરી અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી

કથિત રીતે રેલ્વે વિભાગમાં નોકરી માટેની અપાતી લાલચ

વ્હોટ્સેપથી કોલલેટર અને I-CARD કાર્ડ પણ મોકલ્યા હતા

યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાય

દિલ્હીની ઠગ ગેંગના 5 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

 નવસારી જિલ્લાના ગણદેવીના કરાટે શિક્ષક સાથે થયેલી ઠગાઈમાં નવસારીમાં રહેતી અને તપસ્યા નારી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ નામની NGO ચલાવતી રિષિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગતરોજ નવસારી LCB દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે.

ફિલ્મ સ્પેશ્યલ-26ને પણ ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી નવસારીમાં બની હતી. જેમાં દિલ્હીના ઠગ બાજોએ નવસારીના ફરિયાદી યુવાનો વિપિન કુશવાહા સાથે તેના મિત્ર અભિષેક પટેલને દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પાસેના જુના રેલ્વે યાર્ડમાં લઈ જઈને એન્જિનના ડબ્બા દૂરથી બતાવી કથિત રીતે રેલવે વિભાગની ટ્રેનિંગ આપી હતી

ત્યારબાદ બંને યુવાનોના કોલલેટર અને I-CARD કાર્ડ પણ વ્હોટ્સેપથી મોકલ્યા હતા. બંને યુવાનો પાસે ટુકડે ટુકડે કુલ 33 લાખથી વધુ રૂપિયા ઉસેટી નોકરી ન આપતા આખરે બંને પક્ષ વચ્ચે થયેલા સમાધાનમાં 1.70 લાખ રૂપિયા પરત કરી બાકીની રકમ અંગે ગલ્લાતલ્લા કરતાં આખરે બંને યુવાનોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે રિષિદા ઠાકુરની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મહિલા આરોપી રિશિદા ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં મીડિયાકર્મી અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે દિલ્હી સ્થિત જગમિત સિંહઆશુતોષ અરોરાનિખિલ છાબરાદિપક અને ગોરખ ધામા પોલીસ પકડથી દૂર છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.