ભરૂચ MP મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા વચ્ચે પુનઃ એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું..

ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે,

New Update

ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે,જેમાં ચૈતર વસાવા દ્વારા એક કાર્યક્રમમાં અલગ ભીલીસ્તાન પ્રદેશની માંગ કરી હતી,જેનો મનસુખ વસાવાએ વળતો પ્રહાર કર્યો હતો.

તાજેતરમાં રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મીશન વિસ્તારનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં અલગ ભીલીસ્તાન પ્રદેશની માંગ કરીને કેવડિયાને રાજધાની બનાવવાની વાત કરી હતી,તેઓના આ સંબોધન પર ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું,અને ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં વળતો પ્રહાર કરીને ચૈતર વસાવાની અલગતાવાદી વિચારસરણી ગણાવી હતી.
સાંસદ મનસુખ વસાવા એ ચૈતર વસાવા ની ભીલ પ્રદેશ ની માંગ પર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું  કે આવા અલગતાવાદી લોકો દેશ ને તોડવાનું કામ કરી રહ્યા છે,આઝાદી બાદ દેશ એક થયો છે,ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે પણ ભારત તો એક જ દેશ છે.વધુમાં મનસુખ વસાવાએ સંસદમાં બજેટ સત્રમાં આંખ બંધ કરીને બજેટ ધ્યાનપૂર્વક સાંભળતા હોવાનું જણાવીને વિરોધીઓ પર શબ્દ બાણ છોડ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.