ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા “નાઈટ પેટ્રોલિંગ” યોજાય

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.

New Update

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.

અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છેત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથીકોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્રક્રાઇમ બ્રાન્ચસાઇબર ક્રાઇમ અનેSOG પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ વખતે નીકળનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છેજે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ3મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500થી વધુCCTV કેમેરાપોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબભગવાન જગન્નાથજી મંદિરસરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવનાર છે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.