સાબરકાંઠા : પ્રાંતિજમાં દુષિત પાણીના સેવનથી ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો,પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ

દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે પાલિકામાં રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા

New Update
  • પ્રાંતિજમાં દૂષિત પાણીથી રોગચાળામાં વધારો

  • દૂષિત પાણીથી ઝાડા ઉલટીના કેસમાં વધારો

  • બાળકો સહિત 21 લોકો ઝાડા ઉલટીમાં સપડાયા

  • પાલિકામાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય

  • મહિલાઓએ થાળી વેલણ ખખડાવીને પાલિકાને જગાડી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે પાલિકામાં રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા.અને કુંભકર્ણ નિંદ્રામાં રહેલા પાલિકાને જગાડવા સોસાયટીના રહીશોએ થાળી વેલણ ખખડાવીને કાર્યવાહીની માંગ કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી દુષિત દુર્ગંધ યુક્ત ગંદા પાણીને લઈને સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી.તેમ છતાં પણ પ્રશ્ન હલ ન થતા આખરે પાણી પીવાથી સોસાયટીના રહીશોને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે.

જેમાં 8 બાળકો સહિત કુલ 21 લોકો હાલમાં ઝાડા ઉલટીમાં સપડાયા છે.તો આરોગ્ય વિભાગને જાણ થતા બે ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે હાથ ધર્યો હતો ત્યારે પાણી જન્ય રોગચાળાને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,અને સોસાયટીના રહીશો દ્વારા કુંભકર્ણ નિંદ્રામાં રહેલ પ્રાંતિજ પાલિકાને જગાડવા થાળી વેલણ ખખડાવીને દૂષિત પાણીની બોટલો સાથે પાલિકા ખાતે દોડી ગયા હતા,અને પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલને શુધ્ધ પાણી આપવા રજુઆત કરી હતી.

પ્રાંતિજ પાલિકા દ્વારા એક સપ્તાહમાં દુષિત પાણીના પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા ખાતે બેસી આંદોલનની ચીમકી આપી હતી.તો પાણીજન્ય રોગચાળાથી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે પાલિકા ચીફ ઓફિસર રોશની પટેલ દ્વારા તાત્કાલિક વોટર વર્કસ કમર્ચારીને મોકલી લીકેજ સહિત લાઇન ચેક કરવા મોકલ્યા હતા.

Advertisment
Latest Stories