અમરેલી: 23 વર્ષીય શિક્ષિકા બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા,પોલીસે શરૂ કરી તપાસ
23 વર્ષીય શિક્ષિકાના શંકાસ્પદ મોતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે
BY Connect Gujarat Desk14 Aug 2023 9:55 AM GMT
X
Connect Gujarat Desk14 Aug 2023 9:55 AM GMT
અમરેલી જીલ્લામાં 23 વર્ષીય શિક્ષિકાના શંકાસ્પદ મોતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે
અમરેલી વિદ્યાસભા સંકુલમાં બજાવતા શિક્ષિકાનું મોત થયું છે. તરસરિયા રીનાબેન (ઉં. 23) વહેલી સવારે સ્ટાફ ક્વાર્ટર રૂમના બેડ ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી વિદ્યાસભામા શિક્ષક તરીકે બજાવતા હતા. વિદ્યાસભાના સંસ્થાના સંચાલક દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.શિક્ષિકાના પી.એમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે. મળતી માહિતી મુજબ મૃતક રીનાબેન ખાંભા તાલુકાના ગીદરડી ગામના રહેવાસી હતા. અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Story