અમરેલી : રાજસ્થળી ગામમાં દોઢ વર્ષના બાળકને દાદીએ બચકા ભરી મોતને ઘાટ ઉતારતા અરેરાટી વ્યાપી

ગુજરાત | Featured | સમાચાર અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા હુસેન બચુભાઈ સૈયદના દોઢ વર્ષીય પૌત્ર અને પૌત્રી પોતાની દાદી ફૂલચંદબેન સૈયદ સાથે રમી રહ્યા હતા,

New Update

અમરેલીના રાજસ્થળી ગામનો બનાવ

દોઢ વર્ષના બાળકને દાદીએ ભર્યા બચકા

ઈજાગ્રસ્ત માસુમ બાળક મોતને ભેટ્યો 

રડતા બાળકને જોઈને દાદીને આવ્યો ગુસ્સો 

પોલીસે આરોપી દાદીની કરી ધરપકડ 

અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા હુસેન બચુભાઈ સૈયદના દોઢ વર્ષીય પૌત્ર અને પૌત્રી પોતાની દાદી ફૂલચંદબેન સૈયદ સાથે રમી રહ્યા હતા,જોકે દોઢ વર્ષીય માસુમ રડવા લાગતા દાદીએ તેને શાંત રાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળક શાંત ન રહેતા દાદીએ ગુસ્સામાં આવીને માસુમ બાળકને મોઢા સહિતના ભાગમાં બચકા ભરીને મારમાર્યો હતો,જેના કારણે ઈજાગ્રસ્ત બાળક કરુણ મોતને ભેટ્યો હતો,

Advertisment

ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો,અને પોસ્ટમોર્ટમ સહિત FSLની મદદ લીધી હતી,અને ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.બાળકને બચકા ભરી અને મારી મારીને મોતને ઘાટ ઉતારનાર દાદી ફૂલચંદબેનની પોલીસે ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી. 

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.