Connect Gujarat
ગુજરાત

અમરેલી: ભક્તિ બાપુ દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને આપવામાં આવ્યો આવકાર,વિરોધીઓ પર કરાયા પ્રહાર

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ક્યાંક સત્કાર તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે

X

અમરેલી જિલ્લાના હાથસણી નજીક મનોરોગી દીકરીઓની સેવા ચાકરી માટે બનાવવામાં આવેલા માનવ મંદિરના સંત શિરોમણી પૂજ્ય ભક્તિ બાપુ દ્વારા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને આવકારવામાં આવ્યું છે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ક્યાંક સત્કાર તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના હાથસણી નજીક મનોરોગી દીકરીઓની સેવા ચાકરી માટે બનાવવામાં આવેલા માનવ મંદિરના સંત શિરોમણી પૂજ્ય ભક્તિ બાપુ દ્વારા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી જી હનુમાનજી ના પરમ ભક્ત છે ને સનાતન ધર્મના પ્રચાર અર્થે પધારતા હોય ત્યારે તેમને આવકારીને વિરોધીઓ સામે પ્રહારો કર્યા હતા

Next Story