સાવરકુંડલામાં યોજાયેલ સત્કાર સમારોહમાં ડીમોલિશન અંગે દિલીપ સંઘાણીએ તંત્ર પર નિશાન સાધ્યુ,જુઓ શું કહ્યું

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ સાવરકુંડલા યાર્ડ ખાતે યોજાયો હતો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે  સંવાદ ગોષ્ઠિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે

દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે નિશાન તાંક્યું હતું અને સાવરકુંડલામાં બે દિવસ પહેલા થયેલા ડીમોલેશન અંગે તંત્ર પર દિલીપ સંઘાણીએ પ્રહારો કર્યા હતા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટ થાંભલાઓ ઉભા રહ્યા આ કેવું ડીમોલેશન તેવા સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો

કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીનો સંવાદ સહકારી કાર્યક્રમમાં દિલીપ સંઘાણીના સત્કાર સમારોહમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સૂચક પણ હાજર રહ્યા હતા.આ તરફ જવાહર ચાવડા અંગેના મીડીયાના પ્રશ્નમાં દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહ્યું હતું
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.