સાવરકુંડલામાં યોજાયેલ સત્કાર સમારોહમાં ડીમોલિશન અંગે દિલીપ સંઘાણીએ તંત્ર પર નિશાન સાધ્યુ,જુઓ શું કહ્યું

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update

અમરેલીના સાવરકુંડલા યાર્ડ ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ સાવરકુંડલા યાર્ડ ખાતે યોજાયો હતો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે  સંવાદ ગોષ્ઠિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે

દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે નિશાન તાંક્યું હતું અને સાવરકુંડલામાં બે દિવસ પહેલા થયેલા ડીમોલેશન અંગે તંત્ર પર દિલીપ સંઘાણીએ પ્રહારો કર્યા હતા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટ થાંભલાઓ ઉભા રહ્યા આ કેવું ડીમોલેશન તેવા સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો

કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીનો સંવાદ સહકારી કાર્યક્રમમાં દિલીપ સંઘાણીના સત્કાર સમારોહમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સૂચક પણ હાજર રહ્યા હતા.આ તરફ જવાહર ચાવડા અંગેના મીડીયાના પ્રશ્નમાં દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહ્યું હતું
Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક મહિનો પૂર્ણ,દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા

New Update
amdavad plane crash

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જે વિમાન ક્રેશનું મોટું કારણ બની હોવાની શક્યતા છે.

AAIBએ વિમાનના એન્જિનને મળતો ઈંધણનો પુરવઠો બંધ થવા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું છે.જોકેતપાસ બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાંઅકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.

AAIBના રિપોર્ટ મુજબએર ઇન્ડિયાના વિમાને ટેસ્ટિંગ દરમિયાન સવારે લગભગ 8:08 વાગ્યે 180 નોટની મહત્તમ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી.ત્યારબાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો જે એન્જિનમાં ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું. જો કે અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.

AAIBના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે.કોકપીટ વોઇસ રેકોર્ડરમુજબએક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યુંઆ પ્રશ્નના જવાબમાંબીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણઆવતું બંધ થયું હતું.

Latest Stories