અમરેલી : વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વડલી ગામના ખેડૂતની પહેલ, ખેતર નજીક જ બનાવી દીધું 30 ફૂટ ઊંડું તળાવ

વડલી ગામના ખેડૂત પ્રવીણ સંઘાત હાલ "આકાશમાંથી વરસી રહેલા અમૃત" એટલે કે, વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે. જે જળસંકટ વખતે સંજીવની બની રહશે. તેમણે 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે

New Update
Rainwater harvesting

ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ખારાશનો પ્રશ્ન વિકટ છે. ખેતીમાં ઉત્પાદકતા પર તેની વિપરીત અસર પડે છે. આ સ્થિતિના ઉકેલરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એક ખેડૂતે તળાવ બનાવ્યું છે. ખેડૂતને આશા છે કેતેના આ પ્રયોગથી ખેતીમાં બરકત આવશે. 

Advertisment

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામના ખેડૂત પ્રવીણ સંઘાત હાલ "આકાશમાંથી વરસી રહેલા અમૃત" એટલે કેવરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે. જે જળસંકટ વખતે સંજીવની બની રહશે. તેમણે 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છેજેમાં એકઠા થતાં પાણીનો તે સિંચાઇમાં ઉપયોગ કરશે. અહી સંપૂર્ણપણે દરિયા કાંઠાનો વિસ્તાર છે. અહીંની જમીન સંપૂર્ણપણે ખારી છે.

ખેડૂતે એક એકર જમીનનો ઉપયોગ કર્યો છેઅને તેના પર એક તળાવ બનાવ્યું છેજે 30 ફૂટ ઊંડું છે. તે એક એકરમાં ફેલાયેલું છે. પ્રવીણ સંઘાતનું ખેતર દરિયાથી ઝાઝુ દૂર નથી. એટલે તેમની જમીનમાં ખારાશ પ્રસરે છે. તળાવ નિર્માણના પગલે તેમને આશા છે કેતળાવ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ઘઉંબાજરી અને મગફળી સહિતના અન્ય પાક લેવામાં મદદ મળશે

Advertisment