અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ

અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે

New Update
અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ

અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે

આ છે અમરેલી અને સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર.એપીએમસીની જાહેર હરાજીમાં હાલ ઘઉંની આવકની શરૂઆત થઈ ગઈ છે.અમરેલી અને સાવરકુંડલાના યાર્ડમાં જાહેર હરાજીમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉં ટ્રેકટરોમાં યાર્ડમાં ઠલવાઈ રહ્યાં છે ત્યારે યાર્ડમાં જાહેર હરારજીમાં ઘઉંના ભાવ ગયા વર્ષ કરતા પણ ઘટતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.લોક વન ઘઉં અને ટુકડા ઘઉંના ભાવ ગગડતા ખેડૂતોની કાળી મહેનતની મજૂરી પર પાણી ફરી વળ્યુ હોવાનો વસવસો જગતના તાત કરી રહ્યા છે. અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં 2 હજાર મણ ઘઉંની આવક થઈ રહી છે ને ટુકડા ઘઉંના 450 થી લઈને 575 સુધી તો લોકવન 425 થી 550 સુધી જાય છે ને અધૂરા પાકેલા અને ભેજ વાળા ઘઉં હોવાથી ભાવ નથી મળતો ત્યારે ખેડૂતો ને દર વખત કરતા આ વખતે ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે

Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો