અમરેલી: રાજુલામાં લોન પર લીધેલા વાહનને સ્ક્રેપમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરતી પોલીસ

દિપક ઉર્ફે કાલાએ ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવા માટે ટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

New Update
  • રાજુલામાં લોનના વાહનોને સ્ક્રેપમાંવેચવાનું કૌભાંડ

  • વેચાણ કરાર કરીને હપ્તા ભરવાની આપતા હતા બાંહેધરી

  • ભેજાબાજો લોન વાળી ટ્રક લઈને હપ્તા ભરતાનહતા

  • વાહન તોડીને સ્પેરપાર્ટ્સ કાઢી લેવામાં આવતા

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલામાંલોન પર લીધેલા વાહનખરીદીનેસ્ક્રેપમાંવેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે,અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશબટુકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપી અલીઅસગર અલી હુસેન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા,અને ડ્રાઇવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રેહવાસીઓએલોન વાળી ટ્રક ખરીદી હતી,અનેવેચાણ કરાર કરીને ટ્રકના બાકી લોનના હપ્તા ચુકવવાની બાંહેધરી આપી હતી,જોકે લોનના બાકીહપ્તારૂપિયાલાખ53 હજારઅને હપ્તા મુજબના ચેક આરોપીએ આપ્યા નહતા.અને બારોબારટ્રક ભાવનગર સ્ક્રેપિંગના વેપારી દિપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દીધી હતી. અને દિપક ઉર્ફે કાલાએ ટ્રકભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવા માટેટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

જે ફરિયાદનેઆધારે રાજુલા પોલીસેઆરોપી ઉજેફા આરીફભાઈ શેખ,ઈમ્તિયાઝઉર્ફે બિહારી,દીપક ઉર્ફે કાલા નારણભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત ફરાર આરોપી જેમાં અલીઅજગર અલીહુસેન લોટિયા,પંકજ ઉર્ફે બાલા,ઇસ્માઇલ ઉર્ફે પપલુ આ ત્રણ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.વધુમાં આ ભેજાબાજોનીગેંગ દ્વારા અમરેલી,જૂનાગઢ અને ભાવનગરમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

Read the Next Article

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર,શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી

જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

New Update
12th Result

રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન,2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ'X'પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ,2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટgseb.orgપર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.