અમરેલી : રાજુલામાં 90 વર્ષના પિતાને પુત્રએ માર્યો માર, જુઓ "ખજુર" ભાઇએ કેવી રીતે કરી મદદ

New Update
અમરેલી : રાજુલામાં 90 વર્ષના પિતાને પુત્રએ માર્યો માર, જુઓ "ખજુર" ભાઇએ કેવી રીતે કરી મદદ

અમરેલીના રાજુલા શહેરમાંથી એક આંખોની પાંપણો ભીંજાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. મફતપરા વિસ્તારમાં રહેતાં 90 વર્ષીય વૃધ્ધ ઘરની બહાર નીકળતાં ઉશ્કેરાયેલાં પુત્રએ તેમની સાથે મારપીટ કરી હતી.

દ્રશ્યોમાં તમને જે વૃધ્ધ દેખાઇ રહયાં છે તેમનું નામ છે કાનજીભાઇ, કાનજીભાઇની ઉમંર 90 વર્ષની છે અને તેઓ મફતપરા વિસ્તારમાં તેમના પુત્ર સાથે રહે છે. કાનજીભાઇના શરીર પર જે ઇજાઓ દેખાઇ રહી છે તે તેમના પુત્રની જ દેન છે. વાત એમ બની કે કાનજીભાઇ ઘરની બહાર નીકળ્યાં હતાં અને આ વાતની જાણ થતાં તેમના પુત્રએ તેમને માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ખજુરભાઇ ઉર્ફે નિતિન જાની રાજુલા પહોંચ્યાં હતાં અને અને દર્દભર્યો વિડીયો જાહેર કર્યો હતો.

હવે તમને મનમાં વિચાર આવતો હશે કે કાનજીભાઇને નિતિન જાની કેવી રીતે ઓળખે.. નિતિન જાનીએ ખજુરભાઇના નામથી ખુબ પ્રસિધ્ધિ મેળવી છે. તાજેતરમાં આવેલાં તાઉતે વાવાઝોડામાં અમરેલી જિલ્લામાં ભારે વિનાશ વેરાયો હતો. અનેક કાચા મકાનો અને ઝુંપડાઓ વાવાઝોડામાં તબાહ થઇ ગયાં હતાં.

કાનજીભાઇના મકાનનું પણ છાપરૂ ઉડી ગયું હતું. નિતિન જાનીની મદદથી તેમના ઘરનું રીનોવેશન કરાયું છે. કાનજીભાઇને તેમનો પુત્ર મારતો હોવાની જાણ થતાં નિતિન જાની રાજુલા દોડી આવ્યો હતો. નિતિન જાનીએ જાહેર કરેલા વિડીયો બાદ રાજુલા પોલીસ પણ એકશનમાં આવી છે અને આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.