અરવલ્લી: SP સંજય ખરાતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો, અગ્રગણ્ય નાગરિકો રહ્યા ઉપસ્થિત

અમરેલી SP સંજય ખરાતની બદલી, વિદાય સમારોહનું કરાયુ આયોજન.

New Update
અરવલ્લી: SP સંજય ખરાતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો, અગ્રગણ્ય નાગરિકો રહ્યા ઉપસ્થિત

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની બદલી થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં જ રાજ્ય સરકારે સીત્તેર જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી જેમાં અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની પણ ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમમાં બદલી થઈ હતી. જેને લઇને શુભેચ્છા કાર્યક્રમ મોડાસા પોલિસ અધિક્ષક કચેરી ખાતે આયોજિત કરાયો હતો જેમાં સામાજિક કાર્યકરો,શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો,બિલ્ડરો,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલિસ વડા તરીકે ત્રણ વર્ષ જેટલો સમય અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવી ઘણાં ભેદ ઉકેલ્યા હતા એટલું જ નહીં લોકોની વચ્ચે રહી નાનામાં નાના વ્યક્તિની વાત સાંભળનાર પોલિસ વડાની બદલી થતાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.