બોરવેલમાં 17 કલાક સુધી જિંદગી સામે જંગ લડી રહેલ બાળકીનું અંતે મોત

અમરેલી જિલ્લાના સુરાગપરા ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી.

New Update

અમરેલીમાં બોરમાં પડેલી દોઢ વર્ષની બાળકી અંતે જિંદગી સામે જંગ હારી ગઈ છે રોબર્ટ સહિતની ટેકનોલોજી કામે લગાડ્યા બાદ 17 કલાકનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું જોકે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ જ બહાર  આવ્યો હતો

અમરેલી જિલ્લાના સુરાગપરા ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી.આ અંગેની જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગ તેમજ એનડીઆરએફની ટીમ દોડી આવી હતી અને રોબોટ સહિતની ટેકનોલોજીની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા સતત 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. જોકે વહેલી સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જેના કારણે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું.સતત 17 કલાક સુધી જિંદગી સામે જંગ લડતી આરોહી અંતે મોતને ભેટી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.
Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.