અમરેલી : 5 વર્ષીય બાળકી પર હુમલો કરનાર સિંહને વન વિભાગે ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુર્યો…

સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું

New Update
અમરેલી : 5 વર્ષીય બાળકી પર હુમલો કરનાર સિંહને વન વિભાગે ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુર્યો…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ સિંહને પાંજરે પુરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે, અને ક્યારેક માનવ પર હુમલો પણ કરી બેસે છે. આવી જ એક ઘટના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાં બની છે. ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારની 5 વર્ષીય બાળકી કુંજલ ગુજરિયાને ઉઠાવીને સિંહ ઝાડીઓમાં ઘૂસી ગયો હતો. બનાવની જાણ સાવરકુંડલા રેન્જના વન વિભાગને થતા તાત્કાલીક ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી, જ્યાં વન વિભાગની ટીમે બાળકીને સિંહની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. પરંતુ, ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સિંહ વધુ કોઈ વ્યક્તિ પર હુમલો કરે તે પહેલાં જ વન વિભાગની ટીમે સિંહને બેભાન કરી પાંજરે પૂર્યો હતો. વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સિંહને કોર્ડન કરી ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. જોકે, સિંહ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.