New Update
અંક્લેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરુચ એલસીબીએ અંક્લેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા ઉપરના સ્ટે હટાવી કાયદો કડક બનાવેલ છે જે કાયદા હેઠળ ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ,પેરોલ જમ્પના આરોપીઓને પાડવા માટે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના પી.આઈ.,એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર એ ડીવીજન પોલીસ મથકના ગુજરાત જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપી આદિનાથ સોસાયટીમાં રહેતો આલ્બેટકુમાર વિનોદભાઇ બારીયાને તેના ઘરથી ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.