Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ONGC એસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી

X

અંકલેશ્વર ONGCમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

એસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી

અંકલેશ્વર ઓએનજીસી એસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જ્યંતી નિમિતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના ઓએનજીસી કોલોનીમાં આવેલ સુર્યા ઓડીટોરીયમ હોલ ખાતે અંકલેશ્વર ઓએનજીસી એસ.સી. એસ ટી વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિતોના હસ્તે બાબા સાહેબ આંબેડકરની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સાધન સામગ્રીઓ તેમજ મહિલા સંસ્થાઓની તાલીમાર્થી બહેનોને સીવણ મશીન સહીત રોજગારી અર્થેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ઓએનજીસીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર વિજયકુમાર ગોખલે, ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર ડો.રતિલાલ રોહિત, ઓએનજીસી સેવા સમિતિના ચેરમેન રોહિત પટેલ,એસ.સી. એસ ટી વેલ્ફેર એસોશીએશન તેમજ મજદૂર સંઘના આગેવાનો સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story