અંકલેશ્વર:ચાંદની એન્જિનિયરિંગ કંપનીમાં કામદારની હત્યાથી ચકચાર
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામ બાબતે બોલાચાલી થતાં એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે
BY Connect Gujarat16 Jun 2021 8:51 AM GMT
X
Connect Gujarat16 Jun 2021 8:51 AM GMT
અંકલેશ્વર ઓધ્યોગિક વસાહતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જીઆઈડીસીની ખ્વાજા ચોકડી નજીક આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામદારની હત્યાનો બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આનંદ યાદવની અન્ય કામદાર ભગવાન દાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. બન્ને વચ્ચે કામ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા ભગવાન દાસે આનંદ યાદવને છાતીના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા આ અંગેની જાણ અન્ય કામદારોને થતાં તેઓએ આનંદ યાદવને તાત્કાલિક સારવાર અર્થે જયા બહેન મોદી હોસ્પિટલ ખસેડયો હતો જો કે ત્યાં તેનું મોત નીપજયું હતુ. બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે રમેશ યાદવ નામના કામદારની ફરિયાદના આધારે હત્યારાની શોધખોળ શરૂ કરી છે.
Next Story