અંકલેશ્વર : કનેક્ટ ગુજરાત કાર્યાલયમાં સ્થાપિત દુંદાળાદેવની પ્રતિમાનું ત્રીજા દિવસે વિસર્જન…
ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરીયાના જયઘોષ વચ્ચે કનેક્ટ ગુજરાતમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાનું ત્રીજા દિવસે પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat Desk2 Sep 2022 4:00 PM GMT
X
Connect Gujarat Desk2 Sep 2022 4:00 PM GMT
ત્રણ દિવસ સ્થાપિત કરાયેલા શ્રીજીનું આજે વિસર્જન
નર્મદા નદીના જળમાં કરાયું માટીનું મુર્તિનું વિસર્જન
વિસર્જન વેળા કનેક્ટ ગુજરાત પરિવાર થયો ભાવવિભોર
ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરીયાના જયઘોષ વચ્ચે કનેક્ટ ગુજરાતમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાનું ત્રીજા દિવસે પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાતનાં કાર્યાલયમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી દુંદાળાદેવની આરાધના કરવામાં આવી હતી ત્યારે આજે ત્રીજા દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોકત વિધિ અનુસાર ઉત્થાપન વિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ શ્રીજીની પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદાના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
Next Story