અરવલ્લી: ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું, 30થી વધુ લોકોને ડંખ લાગ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

New Update
અરવલ્લી: ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભમરાનું ઝુંડ ત્રાટક્યું, 30થી વધુ લોકોને ડંખ લાગ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ ના કાલિયાકુવા ખાતે મંગળવારે,ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના ગામોના લાભાર્થીઓ જોડાયા હતા અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી,આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જમણવાર શરૂ થયો હતો,અને અચાનક ભમરાનું ઝુંડ ત્રાટકતા ભારે અફરાતફરી મચી ગઈ હતી,બનાવને પગલે લોકોએ નાસભાગ કરી મુકી હતી,૩૦ થી વધુ લોકોને ભમરાના ડંખ લાગ્યા હતા. જેમાં વધુ ઈજાગ્રસ્ત થયેલ ૧૫ જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા