અરવલ્લી: માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી પોપડા ખર્યા

માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો

New Update
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ
વરસાદી માહોલ વચ્ચે ફતેપુરા પ્રાથમિક શાળાનો બનાવ
શાળાના જર્જરિત મકાનમાં ઓરડાના પોપડા ખર્યા
બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા
શાળાનું સમારકામ કરાવવામાં આવે એવી માંગ
અરવલ્લી જિલ્લામાં વરસાદ ભારે વરસાદ વચ્ચે માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી પોપડા પડતા બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ ના તાયફા જોયા હશે,માત્ર ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ અને સરકારને સારી કામગીરી બતાવતા તંત્રના અધિકારી ઓ આ દ્રશ્યો જુવો..
આ દ્રશ્યો માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના છે, આ શાળાના જર્જરિત ઓરડામાં જીવના જોખમે બેસી અભ્યાસ કરતા બાળકો જોખમમાં મુકાયા છે, ગતરોજ ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો ક્યારે જ્યોર્જરી શાળાનું સમારકામ કરાવવામાં આવે અથવા શાળા અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Read the Next Article

કચ્છ : અંજારમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ,CRPF જવાન પ્રેમીએ જ મહિલા ASIની કરી હત્યા

મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારમાં રહેતા હતા ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

New Update
  • અંજારમાં મહિલાASIની હત્યાથી ચકચાર

  • ઘટનાને પગલે પોલીસતંત્રમાં ચકચાર 

  • પ્રેમીએ ગળું દબાવીને કરી પ્રેમિકાની હત્યા

  • પારિવારિક ઝગડાએ લીધું ઉગ્ર સ્વરૂપ   

  • CRPFના જવાન પ્રેમીએ કર્યું પોલીસમાં સરેન્ડર

અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની ગત રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. દિલીપ મણિપુરમાંCRPFમાં ફરજ બજાવે છે. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દિલીપ પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. દિલીપ અરુણાની બાજુના ગામનો વતની છે.

બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને લગ્ન કરવાનું આયોજન કરતા હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરૂ કરતા દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.