અરવલ્લી : ખેલ મહાકુંભ અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાય, બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો...

મોડાસા કોલેજ કેમ્પસ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનો ડે. કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા.

New Update
  • મોડાસા કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું સુંદર આયોજન

  • ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાય

  • પ્રાંત અધિકારી દેવેન્દ્રકુમાર મીણાએ કરાવ્યો સ્પર્ધાનો પ્રારંભ

  • સ્પર્ધામાં વિવિધ તાલુકામાંથી ખેલાડીઓએ આવી ભાગ લીધો

  • જિલ્લા રમત-ગમત અધિકારી સહિત આમંત્રિતોની ઉપસ્થિતિ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની મોડાસા કોલેજ કેમ્પસ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનો ડે. કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા.

જેમનો જુસ્સો વધારવા ડે.કલેક્ટરે રમતનું મહત્વ સમાજાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે2036માં યોજાનારી ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે અને તેમાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ પણ જોડાય તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેઓએ રમત સાથે કેવી રીતે પોતાની IAS બનવા સુધીની સફર કરી તે અંગે પણ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.