અરવલ્લી: મોડાસામાં રખડતા પશુઓનો આતંક,તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે

New Update
અરવલ્લી: મોડાસામાં રખડતા પશુઓનો આતંક,તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

અરવલ્લીના મોડાસાનો બનાવ

રખડતા પશુઓના આતંકના કારણે લોકોમાં રોષ

તંત્ર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બજારમાં અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓના આતંકના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બજારમાં અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે.મોડાસા નગરની વિદ્યાકૂંજ સોસાયટીમાં રખડતી ગાયે અઢી વર્ષની બાળકીને મોપેડ પર સવાર કરી રસી મુકાવવા માતા પર હુમલો કરી ગાયે આતંક મચાવ્યો હતો.ગભરાઈ ગયેલા બાળકીની માતાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

લોકોએ ગાયના ચુંગલમાંથી બાળકીને છોડાવ્યો હતો.બાળકી પર અચાનક ગાયે કરેલા હુમલાને લઇ વિદ્યાકૂંજ સોસાયટીના રહીશો મોડાસા નગરપાલિકા પહોંચી હલ્લાબોલ સાથે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને નગર પાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરી ગાયોની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરાઇ હતી.આ પહેલા પણ રામપાર્ક અને વિદ્યાકૂંજ સોસાયટીમાં રખડતા પશુઓના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે અને રહીશોએ આ મામલે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતાં છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે વાતને ધ્યાનમાં ન લેતા હોવાનો સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો .અને નાની બાળકી પર થયેલ ગાયના હુમલાને લઈને સોસાયટી રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.