અરવલ્લી: હરિઓમ આશ્રમશાળામાં કંજકટીવાઇટીસની એક સાથે 39 બાળકોને અસર

અરવલ્લી જિલ્લાનો બનાવ, મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને આંખ આવી.

New Update
અરવલ્લી: હરિઓમ આશ્રમશાળામાં કંજકટીવાઇટીસની એક સાથે 39 બાળકોને અસર

હાલ ચોમાસા બાદ આંખોને લાગતા રોગના કેસો મળી આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આંખો આવવાના કેસો મળી આવ્યા છે. મેઘરજ નગરમાં આવેલ આશ્રમશાળાના વિદ્યાર્થીઓમાં આ રોગની અસર જોવા મળી હતી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કાન્જેકટીવાઇટીસના અસંખ્ય કેસો મળી આવ્યા છે. ત્યારે આજે મેઘરજ નગરમાં આવેલી હરિઓમ આશ્રમશાળાના એક સાથે 39 વિદ્યાર્થીઓને કંજકટીવાઇટીસની અસર જોવા મળી હતી. આશ્રમ શાળામાં જે વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. તેમના 39 વિદ્યાર્થીઓની આંખો દુઃખવી, આંખ લાલ થવી વગેરે ફરિયાદો હતી.

જેથી તમામ વિદ્યાર્થીઓને તપાસ અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યાં તમામ 39 વિદ્યાર્થીઓની આંખોની ડોક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો તમામ 39 બાળકોમાં કંજકટીવાઇટીસનો રોગ જોવા મળ્યો હતો. જેથી ડોક્ટરે ડ્રોપ તેમજ ટેબ્લેટની સારવાર આપી હતી. તમામ વિદ્યાર્થીઓને ચશ્મા અપાયા આમ એક સાથે 39 વિદ્યાર્થીઓમાં અસર જોવા મળતા અન્ય શાળાના બાળકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

બાઈટ

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories