બનાસકાંઠા : રાજસ્થાનની એસટી. બસ અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 લોકોને કાળ ભરખી ગયો, 10 લોકો ઘાયલ...

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસટી. બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

New Update

અમીરગઢના ખુણીયા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજસ્થાનની સરકારી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 5 લોકોના મોતજ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત

ગંભીર અકસ્માતના પગલે હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ

અકસ્માત મામલે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસટી. બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 2 બાળકો2 મહિલા સહિત કુલ 5 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ બોલેરો કારનું પડીકું વળી જતા JCBની મદદ લેવી પડી હતી. જેમાં મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે મથામણ કરવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ અમીરગઢ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. જોકેહાલમાં મૃતકોની ઓળખ થઈ ન હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબબોલેરો કારમાં સવાર લોકો અમીરગઢ તાલુકાના ધનપુરા-વિરમપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છેજ્યારે મૃતકોમાં દિલીપ ખોખરીયાસુંદરીબેન સોલંકીમેવલીબેન દિલીપભાઈરોહિત ખોખરીયા અને ઋત્વિક ખોખરીયાના નામનો સમાવેશ થાય છે. તો બીજી તરફગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોનું પ્રાણ પંખેરુ ઉડી જતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે નવી નગરીમાંથી રૂ.86 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
aassdf

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 120 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 86 હજારનો દારૂ અને ફોન મળી કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાનને ઝડપી પાડ્યો હતો.જ્યારે સવિતા યાદવ,લલિતા વસાવા અને અરવિંદ સુકલાને વોન્ટેડ જાહેર કર્યો હતો.