/connect-gujarat/media/post_banners/71d1727c6029ff92fb58adcb64bac455d9e495c26ae278619c0ad888774d6484.webp)
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. વિગતો મુજબ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ઉમેદવારોની સંભવિત રીતે આજે જાહેર થઈ શકે છે.
/connect-gujarat/media/post_attachments/0499c3c26d9c1ec1800a9e984620e3a9d58dbe7ef66e20707a6ad003e24815ca.webp)
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા અને ગઇકાલે પૂર્વ પ્રમુખે પણ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી હોવાનું કહી લોકસભા ન લડવાની પાર્ટીને વિનંતી કરી છે.