ભરૂચ: ઝઘડિયાના અશા-માલસર બ્રિજને જોડતા નાળા નજીકનો એક ભાગ તૂટી પડ્યો

ભરુચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડીયા તાલુકાનાં અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુયલ રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચના ઝઘડિયામાં આવેલો છે આશા માલસર બ્રિજ
પી.એમ.મોદીના હસ્તે કરાયુ હતું વર્ચ્યુઅલ લોકાર્પણ
બ્રિજને જોડતા નાળાનો એક ભાગ તૂટી પડ્યો
વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ
બ્રિજના કામમાં ગોબાચારીના આક્ષેપ
ભરૂચના ઝઘડીયા તાલુકાનાં અશા-માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાની બાજુનો ભાગ ધસી પડતાં વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.
ભરુચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડીયા તાલુકાનાં અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુયલ રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જે માર્ગ ઉપર ચોમાસા પહેલ જ નાળાની બાજુનો કેટલોક ભાગ ધસી પડતાં અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.ત્યારે આ માર્ગની કામગીરીમાં ગોબચારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.તેવામાં વહેલી તકે આ ગાબડું પુરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.