New Update
ભરૂચના ઝઘડિયામાં આવેલો છે આશા માલસર બ્રિજ
પી.એમ.મોદીના હસ્તે કરાયુ હતું વર્ચ્યુઅલ લોકાર્પણ
બ્રિજને જોડતા નાળાનો એક ભાગ તૂટી પડ્યો
વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ
બ્રિજના કામમાં ગોબાચારીના આક્ષેપ
ભરૂચના ઝઘડીયા તાલુકાનાં અશા-માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાની બાજુનો ભાગ ધસી પડતાં વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.
ભરુચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડીયા તાલુકાનાં અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુયલ રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જે માર્ગ ઉપર ચોમાસા પહેલ જ નાળાની બાજુનો કેટલોક ભાગ ધસી પડતાં અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.ત્યારે આ માર્ગની કામગીરીમાં ગોબચારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.તેવામાં વહેલી તકે આ ગાબડું પુરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે.