ભરૂચ આમ આદમી પાર્ટીએ શિક્ષણની કથળતી સ્થિતિ અંગે પાઠવાયુ આવેદનપત્ર

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું

New Update
આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લા દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો ભરતી કરવા સાથે આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાના મુદ્દે ભરુચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતું ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે ચાલુ વર્ષે તારીખ-26 જૂનના રોજથી ત્રણ દિવસ સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરશે આવા કાર્યક્રમો અને તાયફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છૂપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે નથી ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32 હજારથી વધુ શિક્ષકો અને 38 હજારથી વધુ ઓરડાઓની અછત છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.