આમોદના મૌલવીની કરાઇ ધરપકડ
લાગણી દુભાઈ એવી પોસ્ટ સો. મીડિયામાં કરી શેર
ભરૂચ જીલ્લા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી
લાગણી દુભાઇ તેવી પોસ્ટ ઘણા ગૃપમાં શેર કરી
ભરૂચ જીલ્લા પોલીસે આગામી દીવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી દિવસોમાં બકરી ઇદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી,જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફલેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે.સાયબર સેલ દ્વારા સોશિયલ મિડિયામાં વોચ રાખવી અને કંઇ ગુનાહીત જણાઇ આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જીલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે.જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઇદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મિડિયામાં "કુરબાનીનો તરીકાની એક પોસ્ટ શેર થઈ હતી. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો.જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્ય દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડએ કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર.એ.અસ્વારે સુલેહ શાંતિનો ભંગ થઇ શકે તેવુ જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડી પાડ્યા હતા.
આ અંગે તેમની પુછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાઇ તેવી પોસ્ટ ઘણા ગૃપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબુલાત કરતા તેમના વિરૂધ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મસમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી, આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છેકે, મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.