Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રીક્ષા ચાલકોની ફરિયાદના આધારે આમોદના CNG-પેટ્રોલ પંપ પર તોલમાપ ખાતાની ટીમ ત્રાટકી…

ભરૂચ : રીક્ષા ચાલકોની ફરિયાદના આધારે આમોદના CNG-પેટ્રોલ પંપ પર તોલમાપ ખાતાની ટીમ ત્રાટકી…
X

ભરૂચ જિલ્લાના આમોદમાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર જાડો ગેસ આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં રીક્ષાની 4 કિલોની કંપની ફીટિંગ ટેન્કમાં 5 કિલો ગેસ જતો હોવાની રીક્ષા ચાલકોએ આમોદ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી.

સમગ્ર મામલે ભરૂચ તોલમાપ ખાતાના અધિકરી વી.એમ.પટેલ, જુનિયર ઇન્સ્પેક્ટર જી.વી.વસાવા તથા સી.એમ.પટેલ તેમજ ગુજરાત ગેસ કંપનીના જુનિયર અધિકારી જગદીશ સોલંકી આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર આવી તપાસ હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તોલમાપ ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત ગેસના અધિકારીઓ સુહદમ પેટ્રોલ પંપ ઉપર ચકાસણી માટે આવ્યા હોવાની આમોદના રીક્ષાવાળાઓ જાણ થતા મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. ભરૂચ તોલમાપ ખાતાના અધિકારીઓએ અનેક CNG કીટ વાહનોને ગેસ ભરી મીટર રીડીંગની ચકાસણી હાથ ધરી હતી, ત્યારે તોલમાપ ખાતાની અધિકારીઓની હાજરીમાં જ જાડો ગેસ હોવાથી અનેક વાહનોમાં કંપની કેપેસિટી ટેન્ક કરતા વધુ ગેસ જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી અનેક રીક્ષા વાળાઓની ફરિયાદ સાચી ઠરી હોવાનું જાણવા મળ્યું છે. સુહદમ પેટ્રોલ પંપના સંચાલક તરફથી જાડો ગેસ અપાતો હોવાથી CNG રીક્ષા ચાલકો તેમજ ગેસ કીટ વાહનોને આર્થિક નુકશાન જતું હોવાનું સામે આવ્યું છે.

Next Story