New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
IIT ગાંધીનગર દ્વારા આયોજન કરાયું
-
નદી સંરક્ષણ વિષય પર વર્કશોપ યોજાયો
-
સ્ટેહોલ્ડર્સ વર્ષકશોપ યોજાયો
-
નગરપાલિકા પ્રમુખ સહિત ડેલીગેટ્સ રહ્યા ઉપસ્થિત
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર અને જલ શક્તિ મંત્રાલય દ્વારા ભરૂચમા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી
કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે સાથે સ્ટેકહોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે પણ એક વર્કશોપ યોજાયો હતો.
જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટપ્રદેશની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈ.આઈ.ટી.ગાંધીનગરના પ્રનબ મોહાપાત્રા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ અન્ય ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories