ભરૂચ: IIT ગાંધીનગર દ્વારા નદી સંરક્ષણના પડકારો વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • IIT ગાંધીનગર દ્વારા આયોજન કરાયું

  • નદી સંરક્ષણ વિષય પર વર્કશોપ યોજાયો

  • સ્ટેહોલ્ડર્સ વર્ષકશોપ યોજાયો

  • નગરપાલિકા પ્રમુખ સહિત ડેલીગેટ્સ રહ્યા ઉપસ્થિત

Advertisment W3.CSS
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર  અને જલ શક્તિ મંત્રાલય દ્વારા ભરૂચમા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી
કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે સાથે સ્ટેકહોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે પણ એક વર્કશોપ યોજાયો હતો.
જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટપ્રદેશની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈ.આઈ.ટી.ગાંધીનગરના પ્રનબ મોહાપાત્રા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ અન્ય ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. 
Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.