New Update
ભરૂચના હાંસોટ તાલુકાના નવાઓભા ગામના એક કેન્સરથી પીડિત વ્યક્તિના ઘરમાં અતિ દયનિય પરિસ્થિતિ હતી. આ બાબતે ગામના મહિલા ઉર્મિલાબહેન દ્વારા મહેક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં આવી હતી.
મહેક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઘરની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે એક તરફની દીવાલ ચોમાસા દરમ્યાન ધરાશઇ થઈ શકે એમ છે.તેમના પરિવારમાં 3 દીકરી અને પત્ની છે જો કે આવકનો કોઈ સ્ત્રોત નથી.આથી મહેક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઘરના સમારકામ માટે આ પરિવારને આર્થિક સહાય કરી સેવાની સુવાસ ફેલાવી હતી
Latest Stories