ભરૂચ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે આક્રોશ

સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભરૂચમાં પણ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હીતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભરૂચમાં પણ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કરી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું...
જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયએ સનાતન વૈદિક સંપ્રદાય છે જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ,પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો ભાઇઓ,બહેનો તમામ બંધાયેલા છે પરંતુ ભગવો ધારણ કરેલ કેટલાક સાધુઓ ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક, ચારિત્ર્યહિન પ્રવૃતિ કરે છે.શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે.જેના કારણે સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે..
Latest Stories