શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન
શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા અપાયો સહયોગ
શરદોત્સવ કાર્યક્રમ નિમત્તે 650 ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
વિવિધ કેટેગરીમાં 38 ખેલૈયાઓને કરાયું ઇનામ વિતરણ
સમસ્ત ભરૂચ જિલ્લા બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ગત તા. 29મી ઓક્ટોબરના રોજ ભરૂચ શહેરના સિદ્ધનાથ નગર ખાતે ઝાકમઝોળ વચ્ચે શરદોઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજના આશરે 650 ઉપરાંત ખેલૈયાઓ ગરબે ઘુમી આનંદ લૂંટતાં નજરે પડ્યા હતા,
જ્યાં સફળ સંગઠનની આભા ઉભી કરી રસ સભર ભોજનના સ્વાદે સૌના મન મોહી લીધા હતા. આ અવસરે વિવિધ કેટેગરીમાં 38 જેટલી ભેટ દ્વારા ખેલૈયાઓ પ્રોત્સાહન પામ્યા હતા. જોકે, આવતા વર્ષે સમગ્ર નવરાત્રી ભરૂચ અને અંકલેશ્વરના બ્રહ્મ સમાજના લોકો સંયુક્ત ઉપક્રમે ભરૂચ મુકામે યોજાશે, એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન-ભરૂચના પ્રમુખ મયૂરેશ્વર મહેતા, ઉપપ્રમુખ હિમાંશુ શુક્લ, ફાઉન્ડર ચિરાગ ભટ્ટ, બિપીન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના સભ્યોએ ઉપસ્થિત રહી શરદોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.