Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શ્રી અગ્રવાલ સમાજ દ્વારા 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું...

ભરૂચ : શ્રી અગ્રવાલ સમાજ દ્વારા 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી અગ્રવાલ સમાજ (ભરૂચ-અંકલેશ્વર), રેડક્રોસ બ્લડ બેંક (ભરૂચ) તેમજ નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અગ્રસેન જયંતિ નિમિત્તે શ્રી અગ્રવાલ સમાજ (ભરૂચ-અંકલેશ્વર), રેડક્રોસ બ્લડ બેંક (ભરૂચ) તેમજ નારાયણ હોસ્પિટલ (તુલસીધામ-ભરૂચ)ના સહયોગથી 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આવેલ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તારીખ 18 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ સવારે 10 કલાકથી બપોરે 1 કલાક સુધી આયોજિત રક્તદાન શિબિરમાં તમારા શહેરીજનો, સમાજના સભ્યો, સહકાર્યકર સાથે વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે અગ્રવાલ સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

Next Story