ભરૂચ : શ્રી અગ્રવાલ સમાજ દ્વારા 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું...

New Update
ભરૂચ : શ્રી અગ્રવાલ સમાજ દ્વારા 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી અગ્રવાલ સમાજ (ભરૂચ-અંકલેશ્વર), રેડક્રોસ બ્લડ બેંક (ભરૂચ) તેમજ નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અગ્રસેન જયંતિ નિમિત્તે શ્રી અગ્રવાલ સમાજ (ભરૂચ-અંકલેશ્વર), રેડક્રોસ બ્લડ બેંક (ભરૂચ) તેમજ નારાયણ હોસ્પિટલ (તુલસીધામ-ભરૂચ)ના સહયોગથી 14મા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આવેલ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તારીખ 18 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ સવારે 10 કલાકથી બપોરે 1 કલાક સુધી આયોજિત રક્તદાન શિબિરમાં તમારા શહેરીજનો, સમાજના સભ્યો, સહકાર્યકર સાથે વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે અગ્રવાલ સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.

Latest Stories