ભરૂચ: સમસ્ત વસાવા દ્વારા સમુહલગ્નોત્સવમાં  માત્ર 1 રૂપિયાનું ટોકન લઈ 101 યુગલોના લગ્ન કરાવાયા !

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું આ સમૂહલગ્નમાં 101 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

New Update
  • ઝઘડિયાના બલેશ્વર ગામે આયોજન

  • સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા

  • 101 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

  • માત્ર 1 રૂપિયાનું ટોકન લેવામાં આવ્યું

  • સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં ફ્કત એક રૂપિયાના ટોકન થી ૧૦૧ જેટલા યુગલો આદિવાસી રીત રિવાજને આધિન લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. 
ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી ૧૦૧ યુગલને કરિયાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર- સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી, કટીબધ્ધ, પગની વિટીંઓ વગેરેનો શણગાર પણ આપવામાં આવ્યો હતો. 
આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું હતું.સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાન્ત વસાવાએ આ પ્રસંગે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisment
Latest Stories