ભરૂચ: સમસ્ત વસાવા દ્વારા સમુહલગ્નોત્સવમાં  માત્ર 1 રૂપિયાનું ટોકન લઈ 101 યુગલોના લગ્ન કરાવાયા !

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું આ સમૂહલગ્નમાં 101 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

New Update
  • ઝઘડિયાના બલેશ્વર ગામે આયોજન

  • સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા

  • 101 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

  • માત્ર 1 રૂપિયાનું ટોકન લેવામાં આવ્યું

  • સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં ફ્કત એક રૂપિયાના ટોકન થી ૧૦૧ જેટલા યુગલો આદિવાસી રીત રિવાજને આધિન લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. 
ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી ૧૦૧ યુગલને કરિયાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર- સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી, કટીબધ્ધ, પગની વિટીંઓ વગેરેનો શણગાર પણ આપવામાં આવ્યો હતો. 
આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું હતું.સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાન્ત વસાવાએ આ પ્રસંગે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.