ભરૂચ : વાયરલ ઇન્ફેક્શનની અસર થતાં ઝઘડીયા-સુલતાનપુરા કન્યા છાત્રાલયની 12 વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ...

સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત એક પછી એક લથડતા વિદ્યાર્થિનીઓને પ્રથમ નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી

New Update

ઝઘડીયાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયની ઘટના

12થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર પડી જતાં ખળભળાટ

મેડિકલ ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું ચેકઅપ હાથ ધરાયું

વિદ્યાર્થિનીઓને સારવાર અર્થેPHC કેન્દ્ર ખાતે ખસેડાય

વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર : આરોગ્યકર્મી

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમા 12થી વધુ વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થતાં મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત એક પછી એક લથડતા વિદ્યાર્થિનીઓને પ્રથમ નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. જે બાદ તબિયત વધુ બગડતા ઝઘડીયા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું ચેકપ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં શાળામાં હાજર વિદ્યાર્થિનીઓના બ્લડ સેમ્પલ લઈ અન્ય તપાસ કરતા મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન હોવાનુ જણાવાયું હતુંત્યારે હાલ તો 12થી વધુ વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થઈ હોયજે બાદ તેઓને આરોગ્ય ખાતા તરફથી સારવાર અપાયા બાદ હાલ તબીયતમાં સુધારો થયો હોવાનું આરોગ્યકર્મીએ જણાવ્યું હતુંજેથી વિદ્યાર્થિનીઓના વાલીઓ સહિત શાળાના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

ભરૂચ : જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના માર્ગનું વરસાદના કારણે રોકાયેલું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • માર્ગ બન્યો રાજકારણીઓ માટે આક્ષેપબાજીનો અખાડો

  • જંબુસરમાં વરસાદના કારણે રોડનું કામ રખાયું હતું બંધ

  • વરસાદ વચ્ચે રોડના કામનો વિડીયો થયો હતો વાયરલ

  • ભાજપ અને કોંગ્રેસ પક્ષએ કર્યા હતા સામસામે આક્ષેપ

  • વરસાદના કારણે રોકાયેલું માર્ગનું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જોકેવરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઈજનેરને સુરતRCM દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે જંબુસર-આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા. જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

તો બીજી તરફકોંગ્રેસ પક્ષએ પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેજંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી હતી. પરંતુરાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાય હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.