અંકલેશ્વરના યુવા ખેડૂતે પરંપરાગત ખેતી સાથે શેતુરની કરી ખેતી, શેતુરથી સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો નિવારી શકાય છે

અંકલેશ્વરના ખેડૂત રાહુલભાઈ વામજાએ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે શેતુરની ખેતી કરી રહ્યાં છે. તેઓએ ચાર વર્ષ પહેલા શેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું

New Update
Shetur Cultivation

અંકલેશ્વરના ખેડૂત રાહુલભાઈ વામજાએ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે શેતુરની ખેતી કરી રહ્યાં છે. તેઓએ ચાર વર્ષ પહેલા શેતુરના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું.

આજે પરંપરાગત ખેતી સાથે ઓછી માવજતથી શેતુરના વૃક્ષ ઉપર મબલખ પાક આવવાની શરૂઆત થઈ છે. હાલ માર્ચ અને એપ્રિલ મહિનામાં શેતુરના ઝાડ ઉપર મબલખ ખાટામીઠા ફાળો આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ૫-૭ વર્ષ પહેલાં તેઓના ખેતરમાં શેતૂરનો છોડ વાવેલો હતો અને અત્યારે તો એ છોડએ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરીને મબલખ પાક આપવાનું શરૂ કરી દીધું છે.

જેમ-જેમ તેના જૂના ફળોને તોડતા જઈએ તેમ તેમ તેના પર બીજા અઢળક ફળો આવે છે તેમજ તમામ ફળોમાં એકસરખી મીઠાશ હોય છે. 

Shetur Kheti

બજારમાં તેની કિંમત ૨૫૦ -૩૦૦ રૂ.ની છે પરંતુ તમે તમારા ઘરના આંગણામાં જો તેનો નાનો એવો છોડ લાવીને વાવી દેશો તો તમને વર્ષોવર્ષ તેનો લાભ મળતો રહેશે. ઉનાળામાં તેનું જ્યુસ પીવાથી અથવા તેને ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો નિવારી શકાય છે.

રાહુલ વામજાએ અપનાવેલ શેતુરની ખેતીને જોઈને અન્ય ખેડૂતો પણ તેમના ખેતરમાં શેતુરની ખેતીનું માર્ગદર્શન લેવા માટે મુલાકાત લે છે.