અંકલેશ્વરમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ છુટકારો

અંકલેશ્વર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો,ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા કાર ખરીદીના એગ્રીમેન્ટ રદ થયા બાદ ફરિયાદીએ ચેકનો ઉપયોગ કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

New Update
ank court

અંકલેશ્વર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો,ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા કાર ખરીદીના એગ્રીમેન્ટ રદ થયા બાદ ફરિયાદીએ ચેકનો ઉપયોગ કરીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

અંકલેશ્વર જલારામનગર પાસેની વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા મનીષકુમાર પુષ્પવદન કાપડિયા અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષ રસેશ મોદી વચ્ચે ઇનોવા  કાર ખરીદી અંગે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું,જેમાં મનીષ કાપડિયાએ મનીષ મોદી પાસેથી કાર ખરીદી અંગે એગ્રીમેન્ટ કર્યું હતું,અને કાર લોનના હપ્તાની સિક્યુરીટી પેટે મનીષ કાપડિયાએ ચેક પણ લીધા હતા,જોકે કોઈ કારણોસર આ એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યું હતું,પરંતુ મનીષ કાપડિયાએ મનીષ મોદીએ આપેલ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો,જે રિટર્ન થતા મનીષ કાપડિયાએ અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય બી પટેલની કોર્ટમાં મનીષ રસેશ મોદી વિરુદ્ધ ઘી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ નગીન જાંબુ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી,અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના જજમેન્ટ પણ રજૂ કર્યા હતા.આ અંગે એક વાતચીતમાં એડવોકેટ નગીન જાંબુએ જણાવ્યું હતું કે કાર એગ્રીમેન્ટ રદ થયા બાદ તેમની વચ્ચે થયેલા તમામ કરાર રદ થઈ ગયા હતા.અને કોર્ટે યોગ્ય પુરાવા અને દલીલોને માન્ય રાખીને આરોપી મનીષ રશેસ મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા.