ભરૂચ: હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પણ સૂણેવ ગામ નજીક આવેલ એડવેન્ચર પાર્ક સિલ કરાયુ, પરવાનગી ન હોવાથી તંત્રની કાર્યવાહી

યુહૂ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાંસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી

New Update
  • ભરૂચના હાંસોટના સુણેવ ગામ નજીક આવેલું છે એડવેન્ચર પાર્ક

  • યુહુ એડવેન્ચર પાર્કને સિલ કરાયુ

  • પરવાનગી વગર ચાલતું હતું એડવેન્ચર પાર્ક

  • હાંસોટ મામલતદાર દ્વારા કરાય કાર્યવાહી

  • પોલીસ કાફલો પણ સાથે રખાયો

ભરૂચના હાંસોટના સુણેવકલ્લા ગામ ખાતે યુહૂ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાંસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર ગેમ ઝોન થીમ પાર્ક , એડવેનર પાર્ક, સહીત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે.આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી વગર ધમધમતા અંકલેશ્વર -ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા.આ વચ્ચે હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યુહુ એડવેન્ચર પાર્ક અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાને જાણ થતા આજરોજ તેઓએ હાંસોટ પોલીસને સાથે રાખી યુહૂ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરુ કરી હતી જ્યાં સંચાલકો પાસે કોઈપણ મંજૂરી ના હતી.
વધુમાં ફાયર એન.ઓ.સી સહીત સક્ષમ અધિકારીના મજૂરીના કોઈ પણ પુરાવા ના મળી આવતા મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતને ટાંકીને યુહુ એડવેંચર પાર્કના સંચાલકોને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું. 
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.