અંકલેશ્વર:ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 1001 તુલસીમાં છોડનું લોકોને કરાયુ વિતરણ

૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના છોડ આપવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ

  • લોકોને 1001 તુલસીના છોડનું કરાયુ વિતરણ

  • વાતાવરણમાં ઓક્સિજન જળવાયએ હેતુ

  • વન વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલપંપ ખાતે ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું
વાતાવરણમાં ઓક્સીજન જળવાઈ રહે તે માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલપંપ ખાતે ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના છોડ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સમાજ સેવક અનુરાગ પાંડે,સુમિત પાંડે અને આર.એફ.ઓ. ડી.વી.ડામોર તેમજ સંતોષ પ્રધાન,દેવેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.