અંકલેશ્વર: મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા,રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

  • રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

  • મુંબઈથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થનાર છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસે વોચ પર ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 692 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 61 હજારનો દારૂ અને ફોન મળી કુલ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતો હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ,સતીશ ખોડા સરધારા,વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડને ઝડપી પાડી ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.