અંકલેશ્વર: મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા,રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

  • રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

  • મુંબઈથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થનાર છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસે વોચ પર ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 692 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 61 હજારનો દારૂ અને ફોન મળી કુલ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતો હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ,સતીશ ખોડા સરધારા,વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડને ઝડપી પાડી ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.