અંકલેશ્વર: જીઆઇડીસીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા નિમિત્તે ગરબાનું કરાયું આયોજન

ગરબા નિમિત્તે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જ્યારે ગરબામાં ભાગ લેનાર સૌને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું..

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં બ્રહ્મ સમાજ દ્વારા ગરબાનું કરાયું આયોજન

દશેરા પ્રસંગે વિશેષ માતાજીની આરતી સાથે ગરબાનું આયોજન 

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત 

નાયબ પોલીસ અધિક્ષક રહ્યા ખાસ ઉપસ્થિત 

દશેરા નિમિત્તે ગરબા દ્વારા કરાય નવરાત્રીની ઉજવણી 

અંકલેશ્વર જીઆઈડીસીના ભવ્ય બંગ્લોઝના પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીના ભવ્ય બંગ્લોઝના પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ,કે.શ્રીવત્સન,પ્રદીપ રાવલ,દિપક ઉપાધ્યાય અને મહેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોષી,મહામંત્રી ભાસ્કર આચાર્ય,દર્શન જાની,મહિલા પાંખના રૂપલ જોષી સુરેશ જોશી, પ્રવીણ તેરૈયા સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહીને માતાજીની આરતીનો લ્હાવો લઈને ગરબે ઘૂમ્યા હતા.અને ગરબા નિમિત્તે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જ્યારે ગરબામાં ભાગ લેનાર સૌને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.