અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ ઇદગાહ મેદાન પર ઇદની નમાઝ અદા કરાય, ઇદના પર્વની શુભકામના પાઠવાય

આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

New Update

અંકલેશ્વરમાં ઇદના પર્વની ઉજવણી, ઇદગાહ મેદાનમાં ઇદની નમાઝ અદા કરાય

Advertisment

આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી

મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. જયારે શાંતિપૂર્ણ માહોલમાં ઇદનો તહેવાર સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories