અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ ઇદગાહ મેદાન પર ઇદની નમાઝ અદા કરાય, ઇદના પર્વની શુભકામના પાઠવાય

આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

New Update

અંકલેશ્વરમાં ઇદના પર્વની ઉજવણી, ઇદગાહ મેદાનમાં ઇદની નમાઝ અદા કરાય

આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી

મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. જયારે શાંતિપૂર્ણ માહોલમાં ઇદનો તહેવાર સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

 

Latest Stories