અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ...

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો

New Update
  • બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી

  • બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ

  • વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત

  • જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી

  • આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરાય : અસરગ્રસ્ત ખેડૂત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી.

કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.

જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. તેમ છતાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છેત્યારે ગુજરાત સરકાર અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર : જીતાલી ગામેથી ગુમ થનાર મહિલા અને 3 બાળકોને પોલીસે જામનગર માંથી શોધી પરિવારજનો સાથે કરાવ્યું મિલન

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

New Update
Screenshot_2025-09-23-08-21-31-07_439a3fec0400f8974d35eed09a31f914

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

આ ગુમ થયેલ સ્ત્રી અને બાળકો બાબતે પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ & હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી મહિલા તથા તેના બાળકો સાથે જામનગર જીલ્લાના મોરકંડા ગામે રહેતા હોવાનુ બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે જામનગર પહોંચી ત્રણેયને શોધી કાઢયા હતા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.