અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ...

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો

New Update
  • બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી

  • બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ

  • વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત

  • જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી

  • આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરાય : અસરગ્રસ્ત ખેડૂત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી.

કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.

જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. તેમ છતાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છેત્યારે ગુજરાત સરકાર અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.