New Update
અંકલેશ્વરના પાનોલીમાં આવેલી છે કંપની
જે.બી.ફાર્માસ્યુટિકલ કંપની સામે આક્ષેપ
કંપનીમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હોવાના આક્ષેપ
કામદારોને સારવાર અર્થે ખસેડાયા
કંપની સત્તાધીશોએ આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ પાંચ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામદારો માટે કેન્ટીનમાં ભોજન બનાવવામાં આવે છે જેમાં ભોજન આરોગ્યા બાદ પાંચ જેટલા કામદારોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામ અને અન્ય ગામોના પાંચ જેટલા કામદારોને ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તેઓને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્ય બાદ તેઓને અસર થઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ તરફ તરફ કંપની સત્તાધીશો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે કંપનીમાં રોજના 700 થી 800 કર્મચારીઓ અને કામદારો માટે ભોજન બનાવવામાં આવે છે પરંતુ આ પાંચ લોકોને ફૂડ પોઇઝીનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ કામદારો દ્વારા કેન્ટીનનું ભોજન નહીં પરંતુ તેઓના ઘરેથી લાવેલ ટિફિન જમવામાં આવ્યા બાદ અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું