અંકલેશ્વર: પાનોલી GIDCની જે.બી.ફાર્માસ્યુટીકલ કંપનીમાં 5 કામદારોને ફૂડ પોઇઝનિંગની અસરના આક્ષેપ, કંપનીને આક્ષેપ ફગાવ્યા

અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટિકલ  કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ પાંચ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વરના પાનોલીમાં આવેલી છે કંપની

Advertisment

જે.બી.ફાર્માસ્યુટિકલ કંપની સામે આક્ષેપ

કંપનીમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હોવાના આક્ષેપ

કામદારોને સારવાર અર્થે ખસેડાયા

કંપની સત્તાધીશોએ આક્ષેપ ફગાવ્યા

અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ પાંચ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Advertisment
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામદારો માટે કેન્ટીનમાં ભોજન બનાવવામાં આવે છે જેમાં ભોજન આરોગ્યા બાદ પાંચ જેટલા કામદારોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામ અને અન્ય ગામોના પાંચ જેટલા કામદારોને ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તેઓને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્ય બાદ તેઓને અસર થઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ તરફ તરફ કંપની સત્તાધીશો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે કંપનીમાં રોજના 700 થી 800 કર્મચારીઓ અને કામદારો માટે ભોજન બનાવવામાં આવે છે પરંતુ આ પાંચ લોકોને ફૂડ પોઇઝીનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ કામદારો દ્વારા કેન્ટીનનું ભોજન નહીં પરંતુ તેઓના ઘરેથી લાવેલ ટિફિન જમવામાં આવ્યા બાદ અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisment