અંકલેશ્વર: B ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સપેકશન-લોક દરબાર યોજાયો, સ્ક્રેપના ગોડાઉનના માલિકોને પોલીસની કડક સૂચના !

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન

  • વાર્ષિક ઇન્સ્પેકશન-લોક દરબારનો કાર્યક્રમ યોજાયો

  • જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

  • ટ્રાફિક સહિતના પ્રશ્ને કરવામાં આવી રજુઆત

  • સ્ક્રેપ માર્કેટના સંચાલકોને પોલીસે આપી સૂચના

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝા, બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે.ભુતિયા સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક સહિતના મુદ્દે પોલીસને રજૂઆત કરી હતી. આ સાથે જ પોલીસ દ્વારા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ભંગારના ગોડાઉનના માલિકો સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સ્ક્રેપ માર્કેટમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી.આ સાથે જ આવી જો કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસને તરત જ જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગના બનાવો બને છે ત્યારે પોલીસ પણ હવે કડક કાર્યવાહીના મૂડમાં દેખાઈ રહી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.