New Update
-
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
વાર્ષિક ઇન્સ્પેકશન-લોક દરબારનો કાર્યક્રમ યોજાયો
-
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
-
ટ્રાફિક સહિતના પ્રશ્ને કરવામાં આવી રજુઆત
-
સ્ક્રેપ માર્કેટના સંચાલકોને પોલીસે આપી સૂચના
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝા, બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે.ભુતિયા સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક સહિતના મુદ્દે પોલીસને રજૂઆત કરી હતી. આ સાથે જ પોલીસ દ્વારા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ભંગારના ગોડાઉનના માલિકો સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સ્ક્રેપ માર્કેટમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી.આ સાથે જ આવી જો કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસને તરત જ જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગના બનાવો બને છે ત્યારે પોલીસ પણ હવે કડક કાર્યવાહીના મૂડમાં દેખાઈ રહી છે.